Monday, May 6, 2013

અપરાજિતા દત્તાને અપાયો ગ્રીન ઓસ્કાર એવોર્ડ


વોશિંગ્ટન, 4 મે 
વન્યજીવનના જીવવિજ્ઞાાની અપરાજિતા દત્તાએ પક્ષી બચાવો અભિયાન દ્વારા ભારતમાં હોર્નબિલ નામનાં પક્ષીને બચાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. અરૃણાચલપ્રદેશમાં હોર્નબિલને બચાવવાનું ઉમદા કામ કરનાર અપરાજિતાને ગ્રીન ઓસ્કાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયાં છે.
દત્તાએ હોર્નબિલ નામનાં પક્ષીની પાંચમાંથી બે જાતિને પૂર્વ હિમાલયમાં શોધી કાઢી હતી અને પ્રાણીવિજ્ઞાાનની દૃષ્ટિએ અસુરક્ષિત પક્ષીઓને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. દત્તા લુપ્ત થઈ રહેલાં બ્રાઉન હોર્નબિલ અને રયુફસ ગરદનવાળાં હોર્નબિલ પર અધ્યયન કરી રહી છે. દત્તાએ કરેલા સરવે અનુસાર હોર્નબિલની સુંદર ચાંચ અને તેનાં પીંછાંઓને લીધે તે માણસોનો શિકાર બન્યું છે. 
આ પક્ષી ખાસ કરીને પૂર્વ હિમાલયનાં જંગલોમાં જ રહે છે અને કીડા તેમજ અંજીર તેમનો મુખ્ય આહાર છે. આ પક્ષીઓની વિલુપ્તતાનું એક કારણ તે પણ હોઈ શકે છે કે, ૧૮ સદીમાં અહીંયાં મોટાભાગનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. દત્તા ૧૯૯૬થી મૈસુરમાં શરૃ કરવામાં આવેલી એનસીએફ નામની એક એનજીઓ માટે દસ વર્ષથી એક સિનિયર વૈજ્ઞાાનિક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. કુલ આઠ જીવવિજ્ઞાાનીઓને આ એવોર્ડમાં એનાયત કરવામાં આવ્યો છે જેમાં દત્તાનો પણ સમાવેશ થાય છે. ડબલ્યૂએફએનને અનુસાર, ડો. દત્તાએ પક્ષીઓની આબાદીની સ્થિતિમાં સુધારો કરવા માટે તેમને અનુકૂળ અને સુરક્ષિત એરિયાની સ્થાપના કરવાની માગણી કરી છે.

No comments:

Post a Comment