Wednesday, May 1, 2013

રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યાં : સંદેશના દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી


નવી દિલ્હી, તા. ૨૦
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમા આજે જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બે પદ્મવિભૂષણ અને ૩૮ પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારોની ઘાોષણા ગણતંત્ર દિવસે કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિદ અંસારી, વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. 
રાજેશ ખન્ના, નાના પાટેકર, બૉક્સર મેરીકૉમ અને બ્રમ્હોસ મિસાઈસના પ્રણેતા એ. શિવતાણુને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશ ખન્ના અને જસપાલસિંહ ભટ્ટીને તેમની મૃત્યુ બાદ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કપાડિયાએ તે પુરસ્કાર લેવા ઉપસ્થિત રહી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યોગપતિ આદિ ગોદરેજ, ઓલમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, વિજય કુમાર, અભિનેતા નાના પાટેકર,ડિઝાઇનર રીતુ કુમાર, પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હા, આંતરાષ્ટ્રીય નિષ્ણાંત અને પ્રખ્યાત ચિત્રકાર સયૈદ હૈદર રઝા, સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તે સાથે જ પ્રોફેસર સત્ય નધમ અત્લુરી, એરોસ્પેસ નિષ્ણાંત ડૉ. મહારાજ કિશન ભાણ, શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુસ રસીદ ખાન, રિપ્લેસમેન્ટ સર્જરીના અગ્રણી ડૉ. નંન્દકિશોર શામરાઓ, સંપાદક

No comments:

Post a Comment